નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પર શિવસેનાની ભૂમિકાને લઈને કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ આ અંગે એક ટ્વીટ કરી જેમાં તેમણે લખ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નાગરિકતા સંશોધન કાયદા, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ વચ્ચે જે કડીઓ છે, તેઓ સમજાવે કે કઈ રીતે એનપીઆર અને એનઆરસી જોડાયેલા છે. એનપીઆર આ માટે આધારની જેમ કામ કરશે. 


આ સાથે તિવારીએ કહ્યું કે એકવાર એનપીઆર લાગુ થયો તો એનઆરસીને કોઈ રોકી શકશે નહીં. મનિષ તિવારીએ કહ્યું કે નાગરિકતા કાયદાને ભારતીય બંધારણ મુજબ બદલવામાં આવે. કારણ કે નાગરિકતા કાયદો ધર્મના આધારે બનાવી શકાય નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube